Posts

લાયકાત અને તાલીમ વગરના 4510 શિક્ષકો બાળકોને ભણાવે છે -શિક્ષણમંત્રીની કબૂલાત

ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં લોલમલોલ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અત્યારે લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો બાળકોને ભણાવે છે, શિક્ષણમંત્રીએ કરી કબૂલાત
● અમદાવાદ જિલ્લામાં 2967, અમરેલી જિલ્લામાં 319, ગાંધીનગર જિલ્લામાં 148, રાજકોટ જિલ્લામાં 588 કુલ લાયકાત વગરના શિક્ષકો છે
● વધુમાં બનાસકાંઠા જિલ્લામાં 443 અને પાટણ જિલ્લામાં 45 કુલ આવા લાયકાત વિનાના શિક્ષકો છે

ગુજરાત રાજ્યનો શિક્ષણનો સ્તર અત્યારે કેટલો નબળો પડી ગયો છે એ વિધાનસભામાં જ શિક્ષણમંત્રીએ આપેલી કેટલીક લેખિત માહિતીના આધારે તેમાંથી બહાર પડ્યું છે, આપણજ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના કુલ 6 જિલ્લાની વર્તમાન પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના અને બિનતાલીમી એવા 4510 શિક્ષકો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. બીજી બાજુ, આવા બિનતાલીમ અને બિનલાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને નોકરીઓ મળતી નથી એવું કહેવાય છે. જ્યારે એક બાજુ, આવા લાયકાત વગરના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે.

વિવિધ 6 જિલ્લામાં કુલ 4510 શિક્ષકો લાયકાત વગરના છે.
ગુજરાત રાજ્યની વિધાનસભાના બજેટસત્રમાં કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ જ્યારે શિક્ષણમાં ચાલતી આવી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્નો પૂછ્યા હતા કે શું રાજ્ય સરકારે ઠરાવેલી આવી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું કામ કરી રહ્યા છે ? આ પ્રશ્નના જવાબ આપતા લેખિતમાં જ શિક્ષણમંત્રીએ એ કબૂલ્યું હતું કે ગુજરાત રાજ્યના આ 6 જિલ્લામાં કુલ 4510 શિક્ષકો અત્યારે લાયકાત વગરના છે.

સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 2967 શિક્ષકો છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવા લાયકાત અને બિનતાલીમી શિક્ષકો બાબતે શિક્ષણમંત્રીશ્રીએ આપેલા આ જવાબમાં તેમને કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 2967, ગાંધીનગર જિલ્લામાં 148, પાટણ જિલ્લામાં 45, અમરેલી જિલ્લામાં 319, બનાસકાંઠા જિલ્લામાં 443 અને રાજકોટ જિલ્લામાં 588 કુલ આવા લાયકાત વિનાના પ્રાથમિક શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે.

તે શાળાઓને નોટિસ આપવા જિલ્લા શિક્ષણ સમિતિમાં શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે.
આવા બિનતાલીમી શિક્ષકોની ભરતી બાબતે પણ શિક્ષણમંત્રીએ સાથે જણાવ્યું હતું કે RTE 2009 ના અમલમાં આવ્યા પહેલાં જે ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે માત્ર PTC જ લાયકાત ગણવામાં આવતી હતી, RTE 2009 એકટ અમલમાં આવ્યા  ધોરણ 1 થી 5 ના PTC અને ધોરણ 6 થી 8 માટે તાલીમી સ્નાતક B.Ed કક્ષાની લાયકાત માન્ય કરવામાં આવેલી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુુ આવા લાયકાત વાળા અને તાલીમ પામેલા શિક્ષકો ના મળવાને કારણે આવા બિનતાલીમી શિક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી હતી. જેના કારણે આપણી પ્રાથમિક શાળાઓમાં આ શિક્ષકોને હટાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતિઓને નોટિસ આપવા માટે સૂચના પણ આપવામાં આવી દેવામાં આવી છે.

News Source By : Divya Bhaskar

CPOLICY.IN - Here all the information related to primary and secondary education is kept. Such as Bhashadip Book Solution, Sva Adhyayanpothi Solution, STD 1 To 12 Model Papers, Answer Key, Academic Circulars, all useful information for students and study material for every subject such as ... Except for Gujarati Study Material, Hindi Subject Study Material, Science Study Material, Mathematics Study Material, English Study Material, material for all types of literature and subjects is put here. Useful information for primary and secondary teachers, computer Rise files or leaflets which are used for teachers and all other information, all the information that is useful in the study are kept here. Teachers and students can get all the information they need from here and they can comment here and give feedback about the information as well as ask for the information they need. cpolicy.in is a web portal for educational news and information.